06 March 2012

ક.મા. મુનશી

 કનૈયાલાલ મુનશી
પુરું નામ        કનૈયાલાલ માણેકલાલ મુનશી
જન્મ
મૃત્યુ
અભ્યાસ
બી.એ. એલ.એલ.બી.
વ્યવસાય
વકીલાત,સાહિત્યકાર
ખિતાબ
પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
જીવનસાથી
અતિલક્ષ્મી,લીલાવતી
માતા-પિતા
તાપીબા,માણેકલાલ




જીવન ઝરમર
મુનશી કનૈયાલાલ માણેકલાલ, ‘ઘનશ્યામ વ્યાસ’ (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ગુજરાતમાસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.
સાહિત્ય કૃતિઓ
કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ ક્રુતી છે પણ હમેશા પહેલી ગણાય છે.
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ ક્રુષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે. જે અધુરી છે.
§  તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.

નોંધ - (કોઈ પણ કૃતિની વધુ વિગત માટે નામ ઉપર ક્લીક કરો.)


કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. 

0 comments:

Post a Comment