દયાના સાગર
દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને
ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
કાચા રે કાન તમે, ક્યાંના
ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી…
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી…
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
તમથીયે પહેલા અશોક વનમાં,
સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો…
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો…
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
-અવિનાશ વ્યાસ
0 comments:
Post a Comment