19 August 2012

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી


મારી કોઈ ડાળખીમાં

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !


પંખી સહિત હવા ચાતરીને જાય

એવું અષાઢી દિવસોમાં લાગે,


આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.


માળામાં ગોઠવેલી સળી હું નથી

મને વીજળીની બીક ના બતાવો !



એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય

કોઈ રાતી કીડીનોય ભાર !


એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?


હું બરફમાં ગોઠવેલું પાણી નથી

મને સૂરજની બીક ના બતાવો 


રચના  - અનીલ જોષી

સ્વર - મનહર ઉધાસ 

0 comments:

Post a Comment