4:39 PM
અહીં તો ભલભલા આવી ગયા
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ
કોણ લઈને જઈ શકયું દરિયો ઉઠાવીને.
હજી થોડાંક દેવાલય બનાવી દો, શો વાંધો છે?
કે જેથી
સૌ અહીં જીવ્યા કરે માથું નમાવીને!
હજી ઈશ્વરને પામી ના શકયાનું એ
જ કારણ છે,
બધાં
અટકી ગયાં છે આંગળી ઊચે બતાવીને.
ઘણાં આઘાત,આંસુ,દર્દની વરચે ખુમારી છે,
હું તેથી
રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.
કદી અહેસાન ના લેવાનો મોટો
ફાયદો છે આ,
ગમે
ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.!!!
- કિરણસિહ ચૌહાણ
0 comments:
Post a Comment