15 January 2013

ગગનવાસી


ગગનવાસી 
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાઝિર
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

રચના - નાઝીર દેખૈયા  
સ્વર - મનહર ઉધાસ 

0 comments:

Post a Comment